Home > Travel News > અમદાવાદ : રિવરફ્રન્ટ પર 12 ઓગસ્ટથી ફરી શરૂ થશે જોય રાઇડ, એક દિવસમાં 75 યાત્રી ભરશે ઉડાન

અમદાવાદ : રિવરફ્રન્ટ પર 12 ઓગસ્ટથી ફરી શરૂ થશે જોય રાઇડ, એક દિવસમાં 75 યાત્રી ભરશે ઉડાન

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે શરૂ કરાયેલ હેલિકોપ્ટર જોય રાઈડ કોન્ટ્રાક્ટ રિન્યુ ન થવાને કારણે અનિશ્ચિત સમય માટે બંધ કરવામાં આવી હતી. પરંતુ હવે ફરી એકવાર રિવરફ્રન્ટ પર જોય રાઈડ શરૂ થશે. 12 ઓગસ્ટથી લોકો અમદાવાદને આકાશમાંથી જોઈ શકશે.

જોય રાઈડ એરોટ્રાન્સ દ્વારા 1 જાન્યુઆરી, 2022 ના રોજ રિવરફ્રન્ટ ખાતે શરૂ કરવામાં આવી હતી અને અત્યાર સુધીમાં 7500થી વધુ લોકોએ તેનો આનંદ માણ્યો છે.

પ્રતિ પેસેન્જર 2478 રૂપિયા
જોય રાઈડનું સંચાલન કરતી કંપની એરોટ્રાન્સે યાદીમાં જણાવ્યું છે કે જોય રાઈડ સપ્તાહમાં બે દિવસ શનિવાર અને રવિવારે ચલાવવામાં આવશે. દિવસભર જોય રાઈડમાં 75 મુસાફરોને લઈ જવામાં આવશે.

એક રાઈડમાં 5 મુસાફરોને લઈ જવામાં આવશે અને લગભગ 10 મિનિટ સુધી હેલિકોપ્ટર દ્વારા અમદાવાદ શહેર બતાવવામાં આવશે. પ્રતિ પેસેન્જર 2478 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. જોય રાઈડ માટે ઓનલાઈન બુકિંગ થશે.

Leave a Reply